Sunday 20 October 2019

Gujarati Sahitya Parishd Vadodara 1997 Samakaleen Daily Supplement 26 December 1997




સૂતા સેજે રઘુવીર મરકે રે,
સેવા કાજ પટરાણીઓ ફરકે રે

ક્યારેક ગુજરાતી સાહિત્ય પરિષદ પર “વાંકદેખા સ્વઘોષિત ન્યાયાધીશ” રઘુવીર ચૌધરીની મક્તેદારી મનાતી હતી એ ૧૯૯૭ના યુગમાં અમારા ગુરુ નિરંજન ભગતના અધ્યક્ષસ્થાને વડોદરામાં ચં.ચી.મહેતા સભાગૃહમાં યોજાયેલા ગુસાપના અધિવેશન ટાણે મુંબઈના ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના દૈનિક “સમકાલીન”ની ( તંત્રી હરિ દેસાઈના માર્ગદર્શનમાં પૂર્તિ સંપાદક દિવ્યાંગ શુક્લે તૈયાર કરેલી) “સાહિત્યપર્વ” વિશેષ પૂર્તિનું પ્રકાશન ૨૭ ડિસેમ્બર ૧૯૯૭ના રોજ થયું હતું. હમણાં જામજોધપુરના લોક-સંતસાહિત્યકાર, વિવેચક અને સંપાદક મનોજ રાવલ જેવા એફ્બી મિત્ર સાથેની ચર્ચા  નિમિત્તે વડોદરાના એ અવસરનું સ્મરણ તાજું થયું. એ પૂર્તિ અને કેવી મોકળાશથી સ્વસ્થ ડિબેટ થઇ શકે એનો, અમને લાગતો, આદર્શ નમૂનો સાહિત્યરસિકો અને વાંચકોના લાભાર્થે અમને શેયર કરવાનું સૂઝ્યું. 

 આ પૂર્તિમાં જેમની પાસે અમે લખાવ્યું હતું એમના લેખ અને લેખકોની યાદી આ મુજબ છે: (૧) ગુજરાતી સાહિત્ય પરિષદ ગરીબ કી જોરુ છે?- વિનોદ ભટ્ટ  (૨) સૂતા સેજે રઘુવીર મરકે રે, સેવા કાજ પટરાણીઓ ફરકે રે - લાભશંકર ઠાકર (૩) રઘુવીર સોઇઝાટકીને કહે છે, હું કિંગમેકર નથી, કોઈકે રખેવાળનું કામ કરવું જ પડે! – વિકાસ ઉપાધ્યાય (૪) રઘુવીર જેવા સહિત્યકારણીની નિશ્રામાં પરિષદ સલામત, બાકી પનાખાઉઓં કા ક્યા કહના- રજનીકુમાર પંડ્યા (૫) બોદા બળવાખોરોથી ગાડાં વળે નહીં - હરિ દેસાઈ (૬) ગુજરાતી સાહિત્ય પરિષદ: રણજિતરામ વાવા ભાઈ મહેતાથી નિરંજન નરહરિ ભગત સુધી – રઘુવીર ચૌધરી  (૭) આત્મચિકિત્સાની આદત - મનુભાઈ પંચોળી ‘દર્શક’ (૮) આપણે વ્યક્તિને બદલે સંસ્થાને ગૌરવ આપતાં શીખવું જોઈએ - ડૉ.પ્રદીપ પંડ્યા (૯) ૧૯૪૩માં વડોદરા ખાતે યોજાયેલું ગુ.સા.પ.નું અધિવેશન વાસ્તવમાં ભવ્ય હતું - રાજેન્દ્ર પાઠક (૧૦) સ્વાતંત્ર્યની સુવર્ણજયંતી અને સાહિત્યજગત સામેના પડકાર – બટુક દેસાઈ (૧૧) લોકસાહિત્ય : માનવજીવનનો ધબકાર – રાઘવજી રૈયાણી (૧૨) સાહિત્યને સમાજાભિમુખ બનાવવાના સંકલ્પ જ ક્યાં છે – જોસેફ મેકવાન (૧૩) અમદાવાદની પ્રાઇવેટ લિમિટેડ કું.- દિનકર જોષી (૧૪) સાહિત્ય એટલે શું માત્ર ‘પાંચ-સાત શૂરાનો જયકાર’ જેવી પ્રવૃત્તિ? – ભગવતીકુમાર શર્મા. 


No comments:

Post a Comment