Wednesday 23 August 2017

When Feroze Gandhi saw Indira as Fascist

પતિ ફિરોઝ ગાંધીને ફાસિસ્ટ લાગ્યાં હતાં ઈંદિરા
·         ઈંદિરા માર્ચ ૧૯૪૨માં અલ્લાહાબાદના આનંદ ભવનમાં પિતા નેહરુ સહિતનાની સાક્ષીએ હિંદુ વિધિથી પારસી-જરથોસ્ત્ર ફિરોઝ ગાંધી સાથે લગ્નસંબંધે જોડાયાં. બે મહિના હનીમૂન માટે કાશ્મીર ગયાં અને પાછાં ફર્યાં ત્યારે ગાંધીજીએ જગાવેલી ક્વિટ ઈન્ડિયાની આહલેકમાં ગસ્ટ ૧૯૪૨માં જેલવાસી થયાં.
·         ભારતીય વડા પ્રધાનોમાં શ્રેષ્ઠ કોણ એવો પ્રશ્ન વૉક ધ ટૉકઈન્ટરવ્યુ કરતા શેખર ગુપ્તાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા (સરસંઘચાલક) કુપ્પહલ્લી સીતારામૈયા સુદર્શનને પૂછ્યો તો તેમનો સીધો જ ઉત્તર હતોઃ ઈંદિરા ગાંધી.
·          પુપુલ જયકર જેવાં અંગત સખી સમક્ષ શ્રીમતી ગાંધીએ વ્યથા ઠાલવી પણ ખરી કે હું હવે ફિરોઝને છૂટાછેડા આપવાની છું, પણ એટલામાં જ બીજી વારના હૃદયરોગના હુમલામાં ફિરોઝનું દિલ્હીની હૉસ્પિટલમાં મૃત્યુ થયું. 
·         જોકે, શ્રીમતી ગાંધીના ફાસિસ્ટ તરીકેના સ્વરૂપને છેક ૧૯૫૯માં એમણે કેરળની ચૂંટાયેલી સામ્યવાદી સરકારને જિદે ચડીને બરખાસ્ત કરાવી. ત્યારે એમના પતિ અને કોંગ્રેસના સાંસદ ફિરોઝ ગાંધીએ નિહાળ્યું હતું. બેઉ વચ્ચે એ મુદ્દે સંબંધો ઓર વણસ્યા હતા


લંડનથી પ્રકાશિત થતા “ગુજરાત સમાચાર”માં ડૉ.હરિ દેસાઈની સાપ્તાહિક કટાર “ઈતિહાસનાં નીરક્ષીર” ૨૬ ઑગસ્ટ ૨૦૧૭  વેબ લિંક : http://bit.ly/2w3ffhl 

No comments:

Post a Comment