Sunday 14 February 2021

Indians Wealthy Families giving up Citizenship

 

ભારતીય નાગરિકતા છોડવાનું સંકટ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         દર વર્ષે દોઢ લાખ વિદેશી નાગરિકતા લે છે

·         ૧૦ વર્ષમાં માત્ર ૨૧,૪૦૮ વિદેશી દેશી થયા

·         બે કરોડ ઘૂસણખોરોને તગેડવામાં નિષ્ક્રિયતા

હમણાં લોકસભામાં કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમના ભારતીયો મોટાપાયે નાગરિકતા છોડી વિદેશી નાગરિકતા અપનાવી રહ્યા હોવાના પ્રશ્નના ઉત્તરમાં આપેલી માહિતીએ સૌને ચોંકાવી દીધા છે: માત્ર પાંચ વર્ષમાં .૭૬ લાખ ભારતીય નાગરિકોએ નાગરિકતા છોડી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારે આપેલા આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૫થી લઈને સતત દર વર્ષે દોઢ લાખ જેટલા લોકો ભારતીય નાગરિકતા છોડીને વિદેશી નાગરિકતા લઈને ત્યાં સ્થાયી  થઇ રહ્યા છે. થોડા વખત પહેલાં અમારા મિત્ર મનહર વસાણી પટેલે વાત કરી હતી કે અમદાવાદના ઓછામાં ઓછા ,૦૦૦ સમૃદ્ધ પરિવારો એટલે કે જેમને કરોડપતિ ગણાવી શકાય એવા લોકો  ભારતમાં પોતાના વેપારધંધાને સંકેલી લઈને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે સંબંધિત કન્સલ્ટન્સી એજન્સી પાસે ફાઈલો જમા કરાવી વર્ક પરમિટની પ્રતીક્ષામાં છે.  વાત ત્યારે માન્યામાં આવતી નહોતી, પણ કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી રાયે ગૃહમાં તાજીતમતમતી માહિતી આપી પછીના અમારા સંશોધને વાત માત્ર ગંભીર નહીં, ભારતને માટે સંકટ સમાન હોવાનાં એંધાણ અપાનારી હોવાનું જરૂર અનુભવાયું. બ્રેઈન ડ્રેઈનને ઉલટી દિશામાં વાળવાના હાકલાદેકારા થઇ રહ્યા હોય અને રિવર્સ બ્રેઈન ડ્રેઈન શરૂ થવાના દાવા મોટા ઉપાડે થઇ રહ્યા હોય ત્યારે દર વર્ષે લાખો ભારતીય નાગરિકો પ્રાણપ્યારી માતૃભૂમિની નાગરિકતા છોડી રહ્યા વિશે  માત્ર સમાજોએ નહીં, સરકારોએ પણ ચિંતા કરવાની જરૂર છે.  સાગમટે પરિવાર પોતાના ધંધા અન્ય દેશમાં ખસેડવા માંગે છે એટલું નહીં, નવી પેઢી પણ પોતે વિદેશમાં જઈને સ્થાયી થવા ઈચ્છુક હોવાની બાબત પણ અમારા સંશોધનમાં બહાર આવી હતી. રાજકીય સ્થિરતા હોય ત્યાં ધંધો કરવાની મજા રહે એવું મનાતું હોવા છતાં વર્તમાનમાં રાજકીય સ્થિરતાનો  માહોલ હોવા છતાં વેપારધંધામાં અનિશ્ચિતતા ઘણાને જામેલા ધંધાને સંકેલી લઈને વિદેશમાં અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ કે અમેરિકામાં પોતાના વેપારધંધા સ્થળાંતરિત કરવા પ્રેરે છે. સંયોગ જુઓ કે છેલ્લાં પાંચ વર્ષમાં વલણ સવિશેષ જોવા મળે છે.

ભારતીયતાનું આકર્ષણ ઘટ્યું

કેન્દ્રના સત્તાવાર આંકડા મુજબ, વર્ષ ૨૦૧૫માં ,૪૧,૬૫૬  ભારતીય નાગરિકોએ વિદેશી નાગરિકતા અપનાવી.વર્ષ ૨૦૧૬માં ,૪૪,૯૪૨  ભારતીય નાગરિકોએ નાગરિકતા છોડી હતી. વર્ષ ૨૦૧૭માં ,૨૭,૯૦૫ તથા  વર્ષ ૨૦૧૮માં આંકડો ,૨૫,૧૩૦ હતો અને  વર્ષ ૨૦૧૯માં ,૩૬,૪૪૧ હતો. આની સામે ભારતીય નાગરિકતા લેનારાઓના આંકડા જોવામાં આવે તો નહીંવત છે. વર્ષ ૨૦૧૫માં ૧૫,૪૭૦ (મોટાભાગના બાંગલાદેશી નાગરિકોને તેમના પ્રદેશએન્કલેવના સાટાને કારણે- ભારતમાં સમાવાતાં), ૨૦૧૬માં ,૧૦૬ વિદેશીઓને ભારતીય નાગરિકતા અપાઈ. વર્ષ ૨૦૧૭માં ૮૧૭ તથા ૨૦૧૮માં ૬૨૮ તથા વર્ષ ૨૦૧૯માં ૯૮૭ વિદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઈ હતી. છેલ્લા એકાદ દાયકામાં માત્ર ૨૧,૪૦૮ વિદેશીઓને ભારતીય નાગરિકતા અપાઈ હતી. આમાંના મોટા ભાગના શરણાર્થી કે વિદેશમાં ધાર્મિક કનડગતનો ભોગ બનેલા હતા. વર્ષ ૧૯૬૪થી ૨૦૦૮ દરમિયાન .૬૧ લાખ ભારતીય મૂળના તમિળોને અને ૧૯૬૨થી ૧૯૭૮ દરમિયાન બર્મામાં વસતા ભારતીય મૂળના બે લાખ બર્મીઝ લોકોને ત્રાસને કારણે ભારત આવવું પડ્યું અને એમને નાગરિકતા અપાઈ હતી. હજુ તમિળનાડુમાં ૯૫,૦૦૦ શ્રીલંકન શરણાર્થીઓ નાગરિકતા ઝંખે છે. પાકિસ્તાન કે બાંગલાદેશ કે પછી અફઘાનિસ્તાનથી બહુ મોટી સંખ્યામાં ભારત ભાગી આવેલા લોકોને હજુ ભારતીય નાગરિકતા મળી નથી. જોકે કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૨૦૧૯માં આપેલા આંકડાઓ મુજબ, વર્તમાન કેન્દ્ર સરકારે વર્ષમાં પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા ,૦૦૦ વિદેશીઓને નાગરિકતા આપી છે, જેમાં મુસ્લિમોનો પણ સમાવેશ છે. જોકે કેન્દ્ર સરકાર કહે છે કે ધાર્મિક યાદી રખાતી નથી. ભારતમાં બે કરોડ જેટલા બાંગલાદેશી ઘૂસણખોરો વસતા હોવાનું કોંગ્રેસના વડપણવાળી નરસિંહરાવ સરકાર કે ડૉ.મનમોહનસિંહ સરકારે નહીં, ભાજપના નેતાઓ અને વડાપ્રધાનો અટલ બિહારી વાજપેયી તથા નરેન્દ્ર મોદીની સરકારે સંસદમાં જણાવ્યું છે. છેલ્લે ૨૦૧૬માં મોદી સરકારના ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજીજુએ પણ દેશમાં બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરો હોવાનો આંકડો સંસદમાં આપ્યો હતો. આવા ઘૂસણખોરોને પાછા તગેડવા (ડિપોર્ટ) કરવાનો મુદ્દો ભાજપની નેતાગીરી જોરશોરથી ઉઠાવે છે, પરંતુ આવા ઘૂસણખોરોને પાછા તગેડવા અંગેનો એનો ટ્રેક રેકોર્ડ સાવ નબળો હોવાનું મોદી સરકારે ગૃહમાં રજૂ કરેલા  સત્તાવાર આંકડા સાબિત કરે છે. ડિસેમ્બર ૨૦૧૯માં જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, વર્તમાન કેન્દ્ર સરકારે એનાં પાંચ વર્ષમાં માંડ ,૦૦૦ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા ધકેલ્યા હતા.વળી, બાંગલાદેશની સરકારે તો હવે કહેવા માંડ્યું છે કે અમારા કોઈ નાગરિક ગેરકાયદે ભારતમાં રહેતા નથી. ડૉ.મનમોહનસિંહ સરકારે  વર્ષ ૨૦૦૯માં  ૧૦,૬૦૨ તથા ૨૦૧૦માં ,૨૯૦ અને વર્ષ ૨૦૧૧માં ,૭૬૧ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા તગેડ્યા હતા.

બેવડી નાગરિકતા અમાન્ય

બેવડી નાગરિકતાનો અમલ ભારત સરકાર કરતી નથી. તાજેતરમાં કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી રાયે સંસદમાં  બાબતમાં સ્પષ્ટતા કરી હતી કે સરકાર ડ્યુઅલ સિટીઝનશિપ અંગે કોઈ દરખાસ્ત પર વિચારણા નથી કરી રહી.   એટલે કોઈ દેશના નાગરિકે  ભારતની નાગરિકતા લેવી હોય તો એણે અન્ય દેશની નાગરિકતા  છોડવી પડે. હમણાં પાકિસ્તાની ગાયક અદનાન સામીએ ભારતીય નાગરિકતા લેવા માટે પોતાના દેશની નાગરિકતા છોડવી પડી હતી. કોંગ્રેસનાં અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી રાજીવ ગાંધીને પરણ્યાં ત્યારે ઇટાલિયન નાગરિકતા ધરાવતાં હતાં, પણ પાછળથી એમણે ભારતીય નાગરિકતા લેવા માટે ઇટાલિયન નાગરિકતા છોડવી પડી હતી. ભારતથી વિદેશમાં જઈને વસવાટ કરનારા ઘણા ભારતીય નાગરિકતા જાળવે છે. જેમકે હમણાં સ્વર્ગવાસી થયેલા અમેરિકામાં ફ્રેન્ડસ ઓફ ઓવરસીસ બીજેપીના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. મુકુંદ મોદીએ પોતે ભારતીય નાગરિકતા જાળવી હતી, પણ એમનાં મૂળ ભારતીય એવાં પત્ની ડૉ.કોકિલા મોદી અમેરિકી નાગરિકતા ધરાવતાં હતાં. ગુજરાત સરકારનાં મહેમાન તરીકે એનઆરજી ભવનમાં તેમણે બંનેએ પોતાની અલગ નાગરિકતાની નોંધ રજિસ્ટરમાં કરી હતી. નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન વસે છે અમેરિકામાં, પણ ભારતીય નાગરિકતા ધરાવે છે.

ઓસ્ટ્રેલિયા પછી કેનેડા અને ન્યૂઝીલેન્ડ  

ક્યારેક ગુનેગારોને બ્રિટિશ સત્તાવાળાઓ ઓસ્ટ્રેલિયા ભણી જહાજોમાં ભરીને પાઠવતા હતા. ગુનાખોર લોકોની ભોમકા આજે વિશ્વના સજ્જનોને મીઠો આવકારો આપે છે. એના એક વડાપ્રધાન કેવિન રૂડ તો પોતાના પૂર્વજ અહીં ગુનેગાર તરીકે પાઠવાયાના મુદ્દે ગર્વ લેતા રહ્યા છે. અત્યારે સુસંસ્કૃત ગણાતા ઓસ્ટ્રેલિયામાં પ્રજા ઓછી છે અને વર્ષ ૨૦૧૨માં રંગભેદી રમખાણો સર્જાયાના અપવાદને બાદ કરતાં શાંતિથી અને  સુખે જીવી શકાય એવી ભોમકા રોકાણને આવકારે છે. ઓસ્ટ્રેલિયામાં એસબીએસ રેડિયો સાથે જોડાયેલાં હરિતા મહેતા કહે છે કે ભારતના લોકો માટે અહીંનું વાતાવરણ લગભગ ભારત જેવું હોવાને કારણે ફાવે તેવું છે, કામ કરવાની અને વિકાસ કરવાની મોકળાશ છે. શાંતિની જિંદગી છે. અહીં આવી વસનારાઓમાં  ભારતીયો ત્રીજા ક્રમે આવે છે. કચ્છના સાંસદ રહેલા ડૉ. મહીપતરાય મહેતાનાં પૌત્રી હરિતાનો અંદાજ છે કે ઓસ્ટ્રેલિયાની ૨૫,૬૮૭,૦૪૧ જેટલી કુલ વસ્તીમાં ૧૫૯,૬૫૨ જેટલા હિંદીભાષી ભારતીય મૂળના લોકો છે. ગુજરાતીઓની સંખ્યા ૫૨,૦૦૦ આસપાસ ગણી શકાય. કહે છે કે છેલ્લાં ત્રણ વર્ષથી લોકો ઓસ્ટ્રેલિયા કરતાં કેનેડા ભણી વધુ  વળ્યાનું લાગે છે. અહીં મુસ્લિમો અને હિંદુઓની વસ્તી ઓછી હોવા છતાં એમની વચ્ચે દુનિયાભરમાં જે વાતાવરણ છે ખટાશ અહીં પણ જરૂર જોવા મળે છે. મહદઅંશે ખ્રિસ્તી વસ્તી ધરાવતા ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં ધર્મ ભણી ઉદાસીનતા એની વસ્તી ગણતરીમાં ઝગારા મારે છે. દર પાંચ વર્ષે અહીં વસ્તી ગણતરી થાય છે. છેલ્લે ૨૦૧૬માં થઇ હતી. હવે ઓગસ્ટ ૨૦૨૧માં યોજાશે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં ૨૨.% લોકોએ પોતે કોઈ ધર્મ પાળતા નહીં હોવાનું જણાવ્યું હતું, આંકડો ૨૦૧૬માં વધીને 30.%નો થયો છે. વર્ષ ૧૯૬૬માં ૮૮ % ખ્રિસ્તી વસ્તી ધરાવતા દેશમાં હવે ૭૪ % ખ્રિસ્તી છે. હિંદુ વસ્તી માત્ર . % જેટલી છે. અગાઉ ૨૦૧૧માં માત્ર .% હતી. મુસ્લિમો વર્ષ ૨૦૧૧માં ,% હતા અને ૨૦૧૬માં૨. % થયા છે. બૌદ્ધ અનુક્રમે .% અને .% છે. શીખ વસ્તી પણ અહીં વસે છે, પણ .૩થી .% છે.

અમેરિકામાં શિફ્ટ થવાનું આકર્ષણ

ભારતમાંથી વિદેશ ભણવા કે કમાવા જવાનું આકર્ષણ તો ઘણીવાર ગેરકાયદે વિદેશ જઈને વસવાટ કરવાનું નિમિત્ત પણ બને છે. અમેરિકામાં વસતાં લગભગ અડધોઅડધ ભારતીય ગેરકાયદે દેશમાં ઘૂસ્યા કે વસતાં હોવાનો અંદાજ છે. જોકે ભારતીય નાગરિકતા છોડીને સાડા ત્રણ કરોડ રૂપિયાથી લઈને સાત કરોડ રૂપિયાનું રોકાણ ઓસ્ટ્રેલિયામાં વેપારધંધામાં તબક્કાવાર કરવા ઈચ્છુકોને તો ઓસ્ટ્રેલિયા આવકારે છે. સુરતના કાપડના મોટા વેપારધંધાને બંધ કરીને કે ભાવનગરના ૧૭ ટોચના ડોકટરો અહીં કોર્પોરેટ હોસ્પિટલો ધરાવતા હોવા છતાં તેમના દીકરા કે દીકરી બધાં વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કરતાં હોય તો આપણી રાજકીય શાસન વ્યવસ્થામાં કંઈક ગડબડ હોવાનું લાગ્યા વિના રહેતું નથી. ઓસ્ટ્રેલિયા કે કેનેડા જનારા ભારતીયો અંતે તો અમેરિકા ભણી મીટ માંડીને બેઠા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. જોકે ભારતીયો નાગરિકતા છોડીને અને પોતાના કરોડો રૂપિયા સાથે વિદેશમાં જઈને રોકાણ કરીને વિદેશી નાગરિકતા મેળવવા ઉત્સુક હોય ત્યારે એની સમીક્ષા સત્વરે થવી ઘટે.

તિખારો

(વતન ઝૂરાપાની કવિતા)

 

એ ઘર, ગલી, એ ગામ 
મા જાણ્યુંતું  પથ્થર ના બોલે

માન્યુંતું રસ્તા ના ડોલે

તો આજે  કાં મધુર રવે 

મુજને બોલાવી ઇજન કરે છે ?

આવ , આપણે નૃત્ય કરી

 બે પળ અહીં સંગે માણી લઈએ !

અહીં જીવનની પા પા પગલી તેં પાડીતી!

ને જીવન બારાખડી તેં અહીં માંડીતી!

ને મંદ મધુર પવન વાસંતી અહીં ડોલ્યોતો!

અણદીઠેલી ભોમ જવા રસ્તો ખોળ્યોતો!

સાત સમંદર આંખ મહીં છલકાયાં ત્યારે !

મૂક બની મુજ વાચ, રાગ સુણ્યા

 મેં જયારે !

ઘર, ગલી ને ગામ,

સહજ સરગમ છેડીને 

ભીંજવે અનરાધાર પથ્થર બોલીને !

-          ગીતાબેન ભટ્ટ

 

-મેઈલ: haridesai@gmail.com    (લખ્યા તારીખ: ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧)   

 

No comments:

Post a Comment