Monday 27 June 2022

Change of Names of the Cities when Elections are around

 

ચૂંટણી નજીક આવતાં અમદાવાદના નામંતરની ઝુંબેશ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         કર્ણાવતી નામને વાજપેયી સરકારે નકાર્યું

·         અહમદશાહનાં નગરને યુનેસ્કોનો દરજ્જો

·         આશા ભીલના આશાવલની સૂગ કેમ?

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.26 June, 2022.

ચૂંટણી આવે કે ગુજરાતમાં અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી કરવાનો રાજકીય માહોલ રચવાનું રાજકારણ જોરમાં આવી જ જાય છે. ત્રીસેક વર્ષથી વાત ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવાર આગળ વધારે છે. પોતાની રીતે તેઓ અમદાવાદને કર્ણાવતી કહેવાનો આગ્રહ રાખે છે, પરંતુ આટલા લાંબા ગાળામાં મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ભાજપનું શાસન આવ્યા છતાં તેમણે અંગે નિર્ણય લેવાનું ટાળ્યું છે. અમદાવાદનું કર્ણાવતી કરવાનાં ભાજપની સરકારનાં નિવેદનોએ એક નવો વિવાદ પણ સર્જ્યો છે:
કર્ણાવતી પહેલાં આશા ભીલ નામના ભીલ સરદાર કે રાજાનું આશાવલ હતું તો પછી એના પર આક્રમણ કરીને પરાજિત કરનાર રાજા કર્ણદેવે પાછળથી વસાવેલા કર્ણાવતીને બદલે આશાવલ કેમ નહીં? ભાજપની રાજ્ય સરકાર માટે સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ થયો છે. રાજસ્થાનના હિંદુ રાજપૂતમાંથી મુસ્લિમ થયેલા ગુજરાતના સુલતાનના વંશજ એવા સુલતાન અહમદશાહે વસાવેલા અમદાવાદને યુનેસ્કોએ ભારતના પહેલાં હેરિટેજ શહેરનો દરજ્જો આપ્યાના બીજા વર્ષે એનું નામ બદલવાની વાત માત્ર ચૂંટણીને નજરમાં રાખીને કરવામાં આવે અને હિંદુઓને રાજી કરવાનો ખેલ હાથ ધરવા જતાં તો આદિવાસીઓ નારાજ થવા માંડ્યા છે. તેઓ આંદોલન કરવાની ધમકીઓ ઉચ્ચારવા માંડ્યા છે. હમણાં દેશમાં પહેલાં  આદિવાસી રાષ્ટ્રપતિપદ માટે   તરીકે દ્રૌપદી મુર્મુને સત્તા મોરચાએ પસંદ કર્યાં એની પાછળ પણ દેશભરના આદિવાસી સમાજને રાજી કરવાની ભૂમિકા સ્વાભાવિક અનુભવાય છે. નવાઈની વાત તો છે કે કેન્દ્રમાં જયારે વાજપેયી સરકાર હતી ત્યારે એણે અમદાવાદનું કર્ણાવતી કરવાનું નકાર્યું હતું. વળી, લખનારને મળેલા સંઘ પરિવારના એક પ્રકાશનમાં કર્ણાવતીને બદલે આશાવલ નામ રખાયા મુદ્દે આશ્ચર્ય થયું હતું. મૂળ નામ આશાવલ હતું ઈતિહાસ ક્યારેક સંઘ પરિવારની ઈતિહાસ સંકલન સમિતિના સત્તાવાર પ્રકાશનમાં પણ સ્વીકાર થયો છે.

નામંતરના રાજકીય ધખારા

દેશના વડા પ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી મે ૨૦૧૪માં બનારસથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ગંગા જમુની તહજીબની દુહાઈ દેતાં થાકતા નહોતા. હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિના સમન્વય માટે વાપરતાં શબ્દપ્રયોગને એક લોકસભાની ચૂંટણીથી બીજી લોકસભા ચૂંટણી આવતાં લગી કોરાણે મૂકાઈ રહ્યાનું ગુજરાત અને અન્યત્ર અનુભવાઈ રહ્યું છે. ગુજરાત સરકાર અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની વેતરણ કરીને રાજકીય લાભ ખાટવાની કોશિશમાં છે.છેલ્લા ત્રણ દાયકાથી એટલે કે ૧૯૮૮થી ભારતીય જનતા પક્ષ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ભૂમિકા લઈને તમામ ચૂંટણી લડે છે. છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો નિર્ણય અમલમાં આવ્યો નથી. દર્શાવે છે કે ગ્રહણ ટાણે સાપ કાઢવાની ઉક્તિને સાર્થક કરવામાં આવે તે રીતે ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પક્ષને અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનું યાદ આવે છે. છેલ્લે છેલ્લે ઉતર પ્રદેશમાં ભાજપી મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યા જ્યાં આવેલું છે તે જિલ્લાને ફૈઝાબાદને બદલે અયોધ્યા ઓળખાવાનું જાહેર કરવા ઉપરાંત બીજાં પણ કેટલાંક શહેરોનાં નામો બદલ્યાં. એમાંથી મોડે મોડે પ્રેરણા લઈને કદાચ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને પૂર્વ  મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ( ક્રમમાં) અમદાવાદનું કર્ણાવતી કરવાનાં નિવેદનો કરવા માંડ્યા હતા. આની પાછળની ભૂમિકા બહુ સ્પષ્ટ છે.અમદાવાદની ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ સ્થાપના કરનાર ગુજરાતના સુલતાન અહમદશાહના નામ પરથી નગરનું નામ અમદાવાદ પડ્યું. ગુજરાત સરકારના અનુદાનથી પ્રકાશિત ભો. જે. વિદ્યાભવનના અધિકૃત ગ્રંથોમાં જણાવ્યા મુજબ, હિંદુ રાજપૂત પૂર્વજો ધરાવતા દેશી મુસ્લિમ શાસક અહમદશાહે અમદાવાદની સ્થાપના કરી હતી. અહમદશાહે સ્થાપેલા નગરને હિંદુ રાજા કર્ણદેવના નામ સાથેનું કર્ણાવતીનું નામ આપવાની ફરી ફરીને શરૂ થતી હિલચાલમાં રાજકીય લાભ ખાટવાથી વિશેષ કોઈ કવાયત નથી.
૧૯૮૮થી કર્ણાવતીની હિલચાલ

નવાઈની વાત છે કે અત્યારના અમદાવાદની સ્થાપના ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ ગુજરાતના સુલતાન અહમદશાહે કરી હોવાના ઈતિહાસ અને તેમણે બાંધેલાં સ્થાપત્યોની વિગતો સાથે હજુ ૨૦૧૬માં યુનેસ્કોને ૫૪૨ પાનાંનો અહેવાલ ભાજપશાસિત મહાનગરપાલિકાએ પાઠવ્યો હતો. અહેવાલને આધારે હજુ વર્ષ ૨૦૧૭માં યુનેસ્કો પાસેથી ભારતના સર્વપ્રથમ હેરિટેજ સિટીને મંજૂર કરાવવામાં અમદાવાદ મહાનગરપાલિકાને સફળતા મળી છે.અમદાવાદ મહાનગર પાલિકાના સત્તાવાર નામકરણમાં પણ અમદાવાદ અથવા તો અંગ્રેજીમાં AHMEDABAD એવું સ્પષ્ટ કરાયા છતાં પાલિકામાં વર્ષોથી શાસક રહેલા ભારતીય જનતા પક્ષે AMDAVAD MUNICIPAL CORPORATION’ એવું નામકરણ પોતાની મેળે કરી નાખ્યું છે. હકીકતમાં અમદાવાદનું જે નામ છે તે અંગ્રેજીમાં AHMEDABAD તરીકે યુનેસ્કોમાં પણ રજૂ થયું છે. રજૂ કરીને હેરિટેજ શહેર તરીકે ગૌરવ ધારણ કરનાર અમદાવાદ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ યુનેસ્કો તરફથી મળવાની જોગવાઈ શક્ય બની છે. આમ હોવા છતાં એકાએક ભાજપી શાસકોને કર્ણાવતીનું ભૂત ધૂણ્યું છે.અમદાવાદ મહાનગર પાલિકાએ બહુમતીથી ઠરાવ કરીને અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવે એવો આગ્રહ રાખવામાં આવ્યો, વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી. એને ઠરાવ પાઠવવામાં આવ્યો હતો. ૧૯૮૮માં ભલે કોંગ્રેસની સરકાર હતી, પણ એનાં બે વર્ષમાં ચીમનભાઈ પટેલ મુખ્ય પ્રધાન બન્યા અને તેમની સરકારમાં ભાજપના પ્રધાનો તરીકે કેશુભાઈ પટેલ, અશોક ભટ્ટ સહિતના મહાનુભાવો જોડાયા હતા. વખતે જનતા દળ અને ભારતીય જનતા પક્ષની મિશ્ર સરકાર હતી. આવા સંજોગોમાં મિશ્ર સરકારની પણ જવાબદારી હતી કે તેમણે અમદાવાદ મહાનગરપાલિકાએ પસાર કરેલા ઠરાવ અંગે યોગ્ય નિર્ણય કરવો. નિર્ણય ટાળવામાં આવ્યો.

કોંગ્રેસની સલ્તનતની ટીકા

વર્ષ ૧૯૯૫માં તો ભારતીય જનતા પક્ષની કેશુભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર આવ્યા પછી પણ અમદાવાદનું કર્ણાવતી કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં. ભાજપમાં બળવો થયા પછી પણ સુરેશ મહેતાની ભાજપની સરકાર હતી. પછી બળવાખોર શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખની બે સરકારોના બે વર્ષના વહીવટ પછી ફરી ૧૯૯૮માં કેશુભાઈ પટેલની ભાજપ સરકાર આવી.ઓક્ટોબર ૨૦૦૧માં ભાજપના નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાનપદે આરૂઢ થયા અને છેક મે ૨૦૧૪ સુધી મુખ્ય પ્રધાન રહીને વડા પ્રધાન થયા. વચ્ચે કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષના અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકાર હતી. ધાર્યું હોત તો સરકાર પણ અમદાવાદનું કર્ણાવતી કરવાની બાબતમાં નિર્ણય કરી શકી હોત. તેમણે પણ મામલો લટકાવેલો રાખ્યો. કોંગ્રેસની દિલ્હીની સલ્તનત પર દોષારોપણ કરવા માટે કદાચ!

ઇતિહાસના ગ્રંથોમાં નોંધ

અમદાવાદનું નામ બદલીને રાજા કર્ણદેવના નામની પાછળ કર્ણાવતીનું નામ રાખવા પાછળની ભાજપની ભૂમિકાનો ઈતિહાસ તપાસવો જરૂરી છે. હકીકતમાં રાજા કર્ણદેવે જેમને હરાવીને વિસ્તારના આશાવલ અથવા તો આશાપલ્લી નગરને કબજે કર્યું આશાવલ અને ભીલ-આદિવાસી રાજા આશા ભીલ સાથે અન્યાય કરવા જેવી વાત બને છે. ગુજરાત સરકારે પ્રગટ કરેલા અમદાવાદ જિલ્લાના ગેઝેટિયર તેમજ ભો. જે. વિદ્યાભવને ગુજરાત સરકારના આર્થિક સહયોગથી પ્રકાશિત કરેલા ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસના ગ્રંથોમાં દર્શાવાયું છે કે અત્યારે જે અમદાવાદ છે એની પાસે અગાઉ આશા ભીલનું આશાવલ કે આશાપલ્લી નગર હતું. આશા ભીલ પર ગુજરાતના રાજા અને ઉત્તર ગુજરાતના અણહીલવાડ પાટણમાં રાજધાની ધરાવતા રાજા કર્ણદેવે આક્રમણ કર્યું હતું. આશા ભીલને હરાવી તેની રાજધાની આશાવલ કે આશાપલ્લી કબજે કરી. પોતે પાછળથી કર્ણાવતીની સ્થાપના કરી હતી. સઘળો ઘટનાક્રમ અત્યારે અમદાવાદ જ્યાં વસે છે એની બાજુમાં સાબરમતી નદીના કાંઠે આશાવલ અને કર્ણાવતી જેવાં નાનકડાં નગર અસ્તિત્વમાં આવ્યાં હતાં. વાસ્તવિકતા છે કે સુલતાન અહમદશાહે .. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના કરી હતી. તેના કોટ વિસ્તારની અંદર જે કોઈ બાંધકામો થયાં, સ્થાપત્યો તૈયાર કરાયાં અને યુનેસ્કોએ જેને અમદાવાદ તરીકે દેશના પહેલા હેરિટેજ નગર તરીકે સ્વીકાર્યું તે અમદાવાદ હકીકતમાં અહમદશાહે સ્થાપેલું અમદાવાદ છે. અહમદશાહ કોઈ દેશની બહારથી આવેલો આક્રાંતા હતો, વાત પણ સરકાર થકી પ્રકાશિત કરવામાં આવેલા ઉપરોક્ત ગ્રંથોમાં બહુ સ્પષ્ટ થાય છે. એમના પૂર્વજો હિંદુ રાજપૂત હતા, બાબત પણ ઇતિહાસના ગ્રંથોમાં નોંધવામાં આવી છે. એમના પૂર્વજોએ દિલ્હીના તુઘલક શાસન સાથે રોટી-બેટી વ્યવહાર જોડી, ઇસ્લામ કબૂલી ગુજરાતના શાસનને કબજે કર્યું હતું. અમદાવાદ સુધી આણ વર્તાવવામાં તેઓ સફળ થયા હતા.

આશાવલ કે આશાપલ્લી

આવા સંજોગોમાં કોંગ્રેસ પોતે પણ બાબતમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવામાં નિષ્ફળ નીવડી છે. હકીકતમાં કોંગ્રેસની છબી મુસ્લિમ પાર્ટી તરીકેની જળવાઈ રહી છે. ભારતીય જનતા પક્ષ સબ કા સાથ, સબ કા વિકાસની વાત કરીને પણ પોતાની છબી બહુમતી હિંદુઓની પાર્ટી હોવાની છાપ વધુ મજબૂત બનાવાય છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કર્ણાવતી જેવા અનેક મુદ્દાઓ ઉછાળવામાં આવે સ્વાભાવિક છે.
જોકે અંતે પ્રશ્ન તો આવીને ઊભો રહે છે કે અમદાવાદનું નામ કોઈ મુસ્લિમ સંસ્થાપકને નામે હોવાનું કઠતું હોય તો તેને કર્ણાવતી કેમ કરવું? કારણ કે આશા ભીલનું આશાવલ કે આશાપલ્લી કેમ કરી શકાય? બાબતે પણ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ સંતોષકારક ઉત્તર આપવો પડે. આદિવાસી સમાજમાં પણ ભારે અજંપો જોવા મળે છે. મુસ્લિમ સમાજ મહદ્ અંશે મૂકપ્રેક્ષક બની રહેવા વિવશ છે. આવી રાજકીય ખેંચતાણોમાં દેશની પ્રજાની સુખાકારી અને ચૂંટણી ઢંઢેરાનાં વચનોના અમલની વાત વિસારે પાડવાના વ્યૂહ હોય સ્વયંસ્પષ્ટ છે. પ્રજા જાગે અને પ્રશ્નો પૂછતી થાય નહીં, માટે એને આવા નાત-જાત કે ધાર્મિક વિભાજનોના વિતંડાવાદમાં અટવાયેલી રાખવાની યોજનાબદ્ધ કોશિશથી વિશેષ કશું નથી.

તિખારો

નદીની રેતમાં રમતું નગર મળે મળે,
ફરી દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી માટીની ભીની અસર મળે મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
હસતા ચહેરા; મીઠી નજર મળે મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી શહેર, ગલીઓ, ઘર મળે મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે મળે.

વળાવા આવ્યા છે ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ,
અરે ધૂળ પછી ઉમ્રભર મળે મળે.

-     આદિલ મન્સૂરી

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૨૫ જૂન,૨૦૨૨)

No comments:

Post a Comment